Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

મોરબીની પી જી પટેલ કોલેજમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા વિતરણ કરાયું.

મોરબી :આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા, ઘર ઘર  તિરંગા અંતર્ગત મોરબીની પી.જી.પટેલ કોલેજમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું

દેશના સ્વાતંત્ર્ય પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા,ઘર ઘર તિરંગા સુત્ર આપવામાં આવ્યું છે જેના અનુસંધાને સંસ્થા પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા અને આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ વિધાર્થીઓમાં રાષ્ટ્ર ભાવના પ્રજ્વલિત થાય અને રાષ્ટ્રભક્તિના માર્ગે ચાલી વિધાર્થીઓ એક આદર્શ રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરાય તેવા ઉમદા આશયથી મોરબીની પી.જી.પટેલ કોલેજમાં દરેક વિધાર્થીઓને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
વિધાર્થીઓ પોતપોતાના નિવાસ્થાને, કામકાજના સ્થળે ભારતભૂમિની આન બાન અને શાન સમાન તિરંગો લહેરાવે તેવી અપીલ સંસ્થા દ્વારા કરવામાં આવી છે.

(12:42 am IST)