Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ભાવનગરમાં 30 કિ.મી.ની ઝડપે તેજ પવન ફૂંકાયો :ઉમરાળા તળાજા મહુવા અને વલભીપુર માં છુટા છવાયા ઝાપટા વરસ્યા

ગોહિલવાડ પંથકમાં ચાર તાલુકામાં વરસાદના હળવા-ભારે ઝાપટા પડ્યા

( વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર: ભાવનગર શહેરમાં આજે ૩૦ કિ.મી.ની ઝડપે તેજ પવન ફૂંકાયો હતો. જિલ્લાના ઉમરાળા તળાજા મહુવા અને વલભીપુર માં છુટા છવાયા ઝાપટા વરસ્યા હતા.

ગોહિલવાડ પંથકમાં ચાર તાલુકામાં વરસાદના હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા. ભાવનગર શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો જોકે સાંજ સુધીમાં વરસાદ વરસ્યો ન હતો.
આજે સવારના 6 થી સાંજના 6  દરમિયાન ભાવનગરના ઉમરાળામાં 2 મી.મી, તળાજા માં 6 મી.મી., મહુવા માં  3 મી.મી. અને વલભીપુરમાં 2 મી.મી. વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.7 ડિગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 78 ટકા અને પવનની ઝડપ 30 કિ.મી .પ્રતિ કલાકની રહેવા પામી હતી.

 

(6:51 pm IST)