Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

મોરબીમાં નહેરુ ગેઇટ ચોકમાં વીશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળ દ્વારા આતંકવાદના પુતળાનું દહન.

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ પ્રખંડ દ્વારા નહેરુ ગેઇટ ચોકમાં આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.કાશ્મીર ઘાટીમાં સળયંત્ર પૂર્વક નિર્દોષ હિંદુઓની નિર્મમ હત્યાઓ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી હતી અને કાશ્મીર ઘાટીમાં આતંક મચવામાં આવ્યો છે તેના વિરોધ આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કમલેશભાઈ બોરિચા, કમલ દવે સહિતના કાર્યકરોએ અને આગેવાનોએ “આતંકવાદ હાય હાય”, “કશ્મીર કી ગલીયા સુની હૈ પાકિસ્તાન ખૂની હૈ”, ” જીસ કશ્મીર કો ખૂન સે સિંચા વો કશ્મીર હમારા હૈ”, ” હર હિન્દૂને ઠાના હૈ આતંકવાદ મિટાના હૈ”, ‘ભારત માતા કી જય, વંદે માતરમ” ના નારા લગાવી આતંકવાદનો વિરોધ કર્યો હતો અને સમગ્ર દેશના હિંદુઓ કાશ્મીરના લઘુમતી હિન્દૂ અને શીખની સાથે છે તેઓ સંદેશ પણ આપ્યો હતો

(11:25 pm IST)