Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

પોરબંદર શ્રી સાન્દીપની હરિમંદિરના દર્શને સી.આર. પાટીલ-નીમાબેન આચાર્યઃ પૂ. રમેશભાઇ ઓઝાના આશીર્વાદ લીધા

 જૂનાગઢ : તાજેતરમાં પોરબંદર સાન્દીપની વિદ્યાનિકેતન શ્રી હરિમંદિર ખાતે પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાનું ૪૦મું નવરાત્રી અનુષ્ઠાન ચાલી રહ્યુ છે. દરમ્યાન ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ તથા ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નિયુકિત થયેલ. નીમાબેન આચાર્યએ આશ્રમની મુલાકાતે આવેલ ત્યારે તેઓનું સ્વાગત કરાયું હતું. અને શ્રી હરિમંદિરે દર્શન કરી પૂ.ભાઇશ્રીના આશીર્વાદ પણ લીધા હતા. આ તકે રાજ્ય સભાના સાંસદ રામભાઇ મોકરીયા અને પૂ.ભાઇશ્રીના લઘુબંધુ ગૌતમભાઇ ઓઝા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ : વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા)

(1:07 pm IST)