Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

જૂનાગઢના વિસાવદરમાં આજથી 30 એપ્રિલ સુધી સ્વૈચ્છીક લોકડાઉન : બપોરે 2 વાગ્યા બાદ ધંધા- રોજગાર બંધ રહેશે

કોરોનાની સાંકળ તોડવા વેપારીઓ અડધો દિવસ ધંધા-રોજગાર બંધ રાખશે.

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દૈનિક કેસો 5 હજારને પાર થઈ ગયા છે, ત્યારે એક પછી એક ગામો અને શહેરો સ્વયંભૂ લોકડાઉન લગાવી રહ્યા છે, ત્યારે વધુ કેટલાક શહેર- ગામોએ લોકડાઉન લગાવવાનો નિર્ણય લીધો છે. જૂનાગઢમાં વિસાવદરમાં આજથી 30મી સુધી સ્વેચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. વેપારીઓ અડધો દિવસ ધંધા-રોજગાર બંધ રાખશે. બપોરે બે વાગ્યા સુધી જ વેપાર ધંધા ચાલુ રહેશે

(10:36 am IST)