Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

બ્રહ્મલીન પૂજય ભારતીબાપુને પૂ.મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ અર્પી

એમના શિક્ષણ, આશ્રમ અને સામાજિક સેવાનાં પ્રકલ્‍પો પ્રેરણાદાયી રહ્યા :ભક્‍તિ સંગીત, સુગમ સંગીત, શાષાીય સંગીત અને લોકસંગીત તરફનો એમનો રસ આદરપાત્ર રહ્યા

રાજકોટ, તા.૧૨: બ્રહ્મલીન પૂજય ભારતીબાપુને પૂ.મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પરમ પૂજય મહામંડલેશ્વર ભારતીજીબાપુ આજે વહેલી સવારે અમદાવાદના આશ્રમમાં નિર્વાણ પામ્‍યા એ સમાચાર મને હરિદ્વારમાં મારી કથા દરમ્‍યાન મળ્‍યા. ભારતીબાપુ સાથેનો મારો બહુ જુનો સંબંધ. એમનાં ધાર્મિક, સામાજિક અને વિવિધ સેવાકાર્યો માટે જયારે જયારે બાપુએ મને કહેલું ત્‍યારે મે એવાં કાર્યો માટે રામકથાઓ યોજેલી. એમનો સ્‍નેહાદર અને સદ્દભાવ મારા તરફ સતત રહ્યો. આપણા સનાતન ધર્મનું મહામંડલેશ્વર જેવું મહત્‍વનું પદ એમને પ્રાપ્ત થયું હતું જેને તેઓ શોભાવતા રહ્યા. એમના શિક્ષણ, આશ્રમ અને સામાજિક સેવાનાં પ્રકલ્‍પો પ્રેરણાદાયી રહ્યા. નાનામાં નાના માણસના આમંત્રણ પર તેને દ્યેર જવાનું અને સમાજના તમામ વર્ગના લોકો સાથેનો એમનો સંબંધ આપણા માટે શીખવા જેવી બાબત રહી. ભક્‍તિ સંગીત, સુગમ સંગીત, શાષાીય સંગીત અને લોકસંગીત તરફનો એમનો રસ આદરપાત્ર રહ્યા.

એ મને એમની સાધના વિષે વાતો કરતા. એમનો સાધનાનો ક્રમ સચવાઈ રહ્યો. આજે આવા ગિરનારી સંત આપણી વચ્‍ચે નથી ! આવા મહાપુરુષની વિદાયને મારી શ્રદ્ધાંજલિ અને એમની ચેતનાને પ્રણામ કરું છું. એમની સાથે જોડાયેલાં સૌને બળ મળે એવી શ્રી.હનુમાનજીના ચરણોમાં મારી પ્રાર્થના. જય સીયારામ. તેેમ પૂ.મોરારિબાપુએ જણાવ્‍યું હતું.

 

(12:03 pm IST)