Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

કેશોદમાં કોરોના બીજા ચરણમાં પરિસ્‍થિતી જૈસે થે

(કમલેશ જોષી દ્વારા)કેશોદ,તા. ૧૨: કેશોદ કોરોના મહામારીને ૧ વર્ષ થયું પણ પરિસ્‍થિતિ એની એજ જોવા મળી રહી છે અને કોરોના બીજા ચરણના રાઉન્‍ડ વખતે કેશોદમાં કોરોનાએ અહીંયા અજગર ભરડો લીધો હોય અને દિન પ્રતિ દિન કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે કેશોદ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ સતત કેસ વધી રહ્યા છે ત્‍યારે કેશોદમા તમામ એસોસિએશન દ્વારા સ્‍વેચ્‍છાએ લોક ડાઉનનો નિર્ણય કરવામા આવ્‍યો હતો જેમા શનિવાર અને રવિવાર બંધનો નિર્ણય લેવાયો હતો આ તસવીર રવિવારની છે તસવીર જોતા એવું લાગી રહયું છે કે ૧ વર્ષ અને ૧૧ દિવસ બાદ પરિસ્‍થિતિ એની એજ હોય તેનું ભાન કરાવતી આ તસ્‍વીર છે.

(1:51 pm IST)