Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

જુનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર વધુ ૮૩ વ્‍યકિતને કોરોના પોઝીટીવ

કુલ કેસમાંથી જુનાગઢ શહેરનાં ૪ર

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧ર :.. જુનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેતા વધુ ૮૩ વ્‍યકિતનો રીપોર્ટ પોઝીટીવ  આવ્‍યો છે.

જુનાગઢ શહેર અને જિલ્લામાં સંક્રમીતોની સંખ્‍યા દિન પ્રતિદિન વધી રહી હોય તંત્ર ચિંતામાં મુકાય ગયુ છે. અને લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.

જિલ્લાના કુલ ૮૩ કેસમાંથી જુનાગઢ શહેરનાં ૪ર કેસ હોય સીટીમાં સંક્રમણ વધતાં લોકોએ હજુ વધુ સાવચેતી અને તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે.

રવિવારે પણ જિલ્લાનાં તમામ તાલુકામાં કોરોનાએ એન્‍ટ્રી કરી હતી. બીજી તરફ કુલ ર૭ દર્દી સાજા થતાં તેમને ડિસ્‍ચાર્જ કરવામાં આવ્‍યા હતાં.

દરમ્‍યાન જુનાગઢમાં અત્‍યાર સુધીમાં પર,પ૬૪ શહેરીજનો અને ગ્રામ્‍યમાં કુલ ૧,પ૪,૭૭૧ મળી કુલ ર,૦૭,૩૩પ વ્‍યકિતનું રસીકરણ કરવામાં આવેલ છે.

(1:52 pm IST)