Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

પૂ. મોરારીબાપુએ વેકસીનનો બીજો ડોઝ લીધોઃ સૌને વેકસીન લેવા અપીલઃ તલગાજરડા-ચિત્રકુટધામ મુલાકાતીઓ માટે અચોક્કસ મુદ્દત માટે બંધ

રાજકોટઃ. પૂ. મોરારીબાપુુએ આજે પોતાના વતન તલગાજરડા પ્રાથમિક હેલ્થ સેન્ટર ખાતે કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધો હતો અને લોકોને પણ કોરોના વેકસીન લેવા અપીલ કરી હતી. પૂ. મોરારીબાપુએ જણાવ્યુ હતુ કે સર્વે સંતુ નિરામયાના ભાવ સાથે કોરોનામાંથી મુકિત મળે તે માટે સૌએ વેકસીન લેવી જોઈએ. આ વેકસીનથી ડરવાની કોઈ વાત નથી. કોરોના રોગચાળો વધુ પ્રસરતો અટકે તે માટે વેકસીન લેવી જરૃરી છે. પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યુ હતુ કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા મહુવાના તલગાજરડા ખાતે આવેલ શ્રી ચિત્રકુટધામ, પ્રભુપ્રસાદ અને કૈલાસ ગુરૃકુળ મુલાકાતીઓ માટે અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવેલ છે. લોકોને કોવિડ ગાઈડલાઈનનું પુરતુ પાલન કરવા અને ઘરે રહેવા અપીલ કરી હતી.

(2:03 pm IST)