Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

પૂ. ભારતીબાપુની વિદાયથી અમે છત્રછાયા ગુમાવી છેઃ પૂ.ઇન્દ્રભારતીબાપુ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧ર :..  જુનાગઢ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંત અને જુના અખાડાના આંતર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પૂ. ઇન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું કે પૂ. ભારતીબાપુના નિધનથી અમે અમારી છત્રછાયા ગુમાવી છે. તેઓ સૂર્ય પ્રકાશભારતી પરિવારના વયોવૃધ્ધ સાધુ છેલ્લા ભારતીબાપુ હતા સદાય અમને માર્ગદર્શન આપતા હુ ૧૪ વર્ષનો હતો ત્યારથી ભારતીબાપુ સાથે જોડાણ હતુ અને અમને ધર્મ અને રાષ્ટ્ર સેવા અંગે ઘણુ માર્ગદર્શન આપ્યુ હતું અને ભારત અને ગુજરાતમાંથી લોકો વ્યસન મુકત થાય તે માટે પૂ. બાપુએ અભિયાન ચલાવી અનેકને વ્યસન મુકત બનાવ્યા હતાં.

(3:23 pm IST)