Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ભાવનગરમાં કોરોનાથી વધુ એકનું મોત અને ૩ પોઝિટિવ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૨ : જિલ્લામા વધુ ૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૩૬૮ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૨ પુરૂષ તેમજ તાલુકાઓમાં ૧ પુરૂષ મળી કુલ ૩ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

શહેરમાં રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન અવસાન થયેલ છે.

મહાનગરપાલિકા વિસ્તારમા ૪૫ અને તાલુકાઓમાં ૧૪ કેસ મળી કુલ ૫૯ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૩૬૮ કેસ પૈકી હાલ ૨૮૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૯૩ દર્દીઓના અવસાન થયેલ છે.

મ્યુકર માઇકોસીસના વધુ ૨ કેસ

જિલ્લામાં મ્યુકર માઇકોસીસનાં વધુ ૨ સસ્પેકટીવ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ ૧૨૨ કેસ સારવાર હેઠળ નોંધાયા છે.

જિલ્લામાં કુલ ૧૨૨ કેસ નોંધાયેલા પૈકી ૧૧૨ કન્ફર્મ કેસ, ૭ સસ્પેકટેડ કેસ અને ૩ નેગેટિવ કેસ નોંધાયેલ છે. જયારે આજદિન સુધીમાં ૧૪ દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

(11:24 am IST)