Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

એસ. ટી. વિભાગીય નિયામક યોગેશભાઇ પટેલની ભુજ બદલીઃ ઇન્ચાર્જ નિયામક કલોતરાનું સન્માન

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧ર :.. રાજકોટ એસ. ટી. ડીવીઝનના વિભાગીય નિયામક તરીકે સેવા આપતા યોગેશભાઇ પટેલની તાજેતરમાં ભુજ ખાતે બદલી થતા અને તેમની જગ્યાએ વિભાગીય નિયામકના પદ ઉપર ઇન્ચાર્જ જયદેવભાઇ કલોતરાની નિમણુંક થતા એસ. ટી. યુનિયનની ત્રણેય પાંખ કર્મચારી મહામંડળ, ભારતીય મજદુર સંઘ અને મજૂર મહાજન યુનિયન ત્રણેયની સંકલન સમિતિ દ્વારા બન્ને અધિકારીઓનું ફુલહાર કરી મોમેન્૭ો આપી સન્માન કર્યુ હતું.

જેમાં કર્મચારી મંડળના પ્રમુખ જયુભા જાડેજા, મહામંત્રી અનિરૂધ્ધસિંહ પરમાર અને ભરતસિંહ જાડેજા તેમજ ભારતીય મજદુર સંઘ, સંઘના પ્રમુખ ડી. એન. ઝાલા, મહામંત્રી હાલુભા ઝાલા અને મહેશભાઇ વેકરીયા તેમજ મજૂર મહાજન યુનિયનના પ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી સનતભાઇ વામજા, તેમજ કિશોરસિંહ પરમાર સહિતના અગ્રણીઓએ નિયામકશ્રીની કાર્યશૈલીને બીરદાવી હતી અને ઇન્ચાર્જ નિયામકને પણ નવા કારભારમાં સફળતા મેળવો તેવી શુભેચ્છાઓ આપી હતી.

(11:32 am IST)