Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

અમરેલી પાલિકા દ્વારા વેરો વધારો રદ કરતા સન્માન

અમરેલી : પાલિકાના અગાઉના શાસકોએ મકાન વેરા, પાણી વેરામાં તોતિંગ વધારો કરતા શહેરીજનોમાં રોષનો માહોલ ઉભો થયો હોય પાલિકાના નવનિયુકત ભાજપ શાસકોએ વેરાના વધારાનો નિર્ણય રદ કરતા ડીસ્ટ્રીકટ ચેમ્બર અને વેપારી મહામંડળે શાસકોનો આભાર માન્યો છે. વેપારી સંગઠને જણાવેલ કે મુકેશભાઇ સંઘાણી, તુષારભાઇ જોશી, ભાવેશભાઇ સોઢા, સુરેશભાઇ શેખવાએ પાલિકાની ચુંટણી અન્વયે અમરેલીના તમામ જનતાને આપેલ વચન મુજબ અગાઉના બોર્ડ વખતે થયેલ કમ્મરતોડ ઘરવેરા તથા પાણીવેરામાં વધારો કરેલ જે હાલમાં મોકુફ રાખેલ છે. (તસ્વીર-અહેવાલ : અરવિંદ નિર્મળ, અમરેલી)

(11:38 am IST)