Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

પોરબંદર ખારવા જ્ઞાતિ દ્વારા રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રા નીકળીઃ નવા વાણોટ પવનભાઇનું અભિવાદન

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧ર :.. સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા અષાઢી બીજે રામદેવજી મહાપ્રભુની પરંપરાગત શોભાયાત્રા ખારવા પંચાયત મઢીથી સરકારની કોવિડ ગાઇડ લાઇન મુજબ નીકળી હતી.

સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રામાં જ્ઞાતિ વાંણોટ (પ્રમુખ) પવનભાઇ શિયાળ ઉપપ્રમુખ વિનોદભાઇ બાદરશાહી પંચ પટેલ તથા આગેવાનો ટ્રસ્ટીઓ વગેરે જોડાયા હતાં. શોભાયાત્રાના રૂટમાં ઠેરઠેર વેપારી મંડળો દ્વારા જ્ઞાતિના નવા ચૂંટાયેલા વાણાંટ પવનભાઇ ઉપપ્રમુખ વિનોદભાઇ સહિત અગ્રણીઓનું સ્વાગત કરીને બહુમાન કરવામાં આવ્યું હતું. રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રામાં ધજા પતાકા સાથેની રામદેવજી મહાપ્રભુજીની પાલખીએ આકર્ષણ જમાવ્યું હતું. ભાવિકોએ સોશ્યલ ડીસ્ટન્સથી દુર થી દર્શન કર્યા હતાં.

(1:25 pm IST)