Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ગોંડલ શ્રીનાથજીધામ હવેલીમાં અલૌકીક હિંડોળા મહોત્‍સવ

 ગોંડલ : શ્રી દ્વારકેશલાલજી મહારાજ સ્‍થાપિત શ્રીનાથજીધામ હવેલીમાં પુષ્ટિમાર્ગની પ્રણાલીકા મુજબ શ્રી ઠાકોરજીના વિવિધ સાજસજાવટ પ્રભુના લીલા સ્‍થળ, લીલાપરીકરના દર્શન સાથે નિતનવા હિંડોળા ઉત્‍સવ સૌ વૈષ્‍ણવોના સેવાસહયોગથી મુખ્‍યાજી રાજુભાઈ ઠાકરના માર્ગદર્શન નીચે વ્‍યવસ્‍થા કમીટી વિઠ્ઠલભાઈ ઘડુક, ભગવાનજીભાઈ મણવર, ચનાભાઈ રાખોલીયા તથા મહીલા સત્‍સંગ મંડળની બહેનો તેમજ મુકતાબેન ભારે જહેમત ઉઠાવી રહયા છે. આવા અલૌકિક દર્શનનો લાભ ગામના તેમજ બહારગામના ભાવિકો બહોળી સંખ્‍યામાં લઇ પ્રભુના આવા દિવ્‍ય દર્શનની ઝાંખી કરી ધન્‍યતા અનુભવે છે. દર્શન સમય સાંજના ૬ થી ૭ દરમ્‍યાન રહેશે.(તસ્‍વીર-અહેવાલ : અશોક જોષી ગોંડલ)

(12:39 pm IST)