Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

મોરબી સિરામિક મેન્યુ એસો દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ૧૦,૦૦૦ તિરંગાનું વિતરણ.

મોરબી ; હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા 10000 તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દેશના સ્વાતંત્ર્ય પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગાનુ આહવાન આપવામાં આવ્યું છે. જેના અનુસંધાને મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન દ્વારા લોકોમા રાષ્ટ્ર ભાવના પ્રજ્વલિત થાય અને રાષ્ટ્રભક્તિના માર્ગે ચાલી એક આદર્શ રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરાય તેવા ઉમદા આશયથી મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ૧૦,૦૦૦ નંગ તિરંગાનુ વિતરણ કરાયું હતું.
ઉદ્યોગકારો પોતપોતાના નિવાસ્થાને અને ઘંઘાના સ્થળે ભારતભૂમિની આન બાન અને શાન સમાન તિરંગો લહેરાવે તેવી અપીલ મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન દ્વારા કરવામાં આવી છે.

(1:06 am IST)