Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

લોધીકા શ્રી શાંતેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી

લોધીકાઃ શ્રાવણ સુદ ૧૧નો પવિત્ર દિવસે લોધીકા મુકામે અંતિમ ધામ એટલે કે સ્‍મશાન શાંતેશ્વવર મહાદેવ સ્‍થાપના વસોયા પરિવારે કરેલ છે. તે નિમિતે આજ રોજ બાળકોને નેશનલ વિદ્યાલય વતિ પવિત્ર શ્રાવણ માસના પવિત્ર સોમવારે શંકર ભગવાન ભોળાનાથના ભક્‍તિમય અને ભગવાન પ્રત્‍યે લાગણી વધે તે માટે શ્રી નેશનલ વિદ્યાલય લોધિકાના સંચાલક કિરિટભાઇ ભીમાણી વતી બાળકોને શાંતેશ્વવર મહાદેવે ૧૦૮ મહાઆરતીનુ આયોજન કરેલ છે. જેના અનુસંધાને બાળકો તથા વાલીઓ એ ઉમળકભેર આરતીનુ મહા-આયોજન કર્યું તેમા બાળકો, વાલીઓ તથા તમામ શિક્ષક ભાઇઓ તથા બહેનો એ ભગવાન ભોળાનાથ ને રિઝ્‍વ્‍વા માટે ખુબ જ અથાક પ્રયત્‍નો ક્ર્‌યો બાળકો દ્વારા શિવલિંગ ઉપર દુધનો અભિશેક કર્યો સ્‍કુલના સંચાલક કિરિટભાઇ ભીમાણી સાથે ભાવેશભાઇ વસોયા એ બાળકોને પ્રોત્‍સાહિત કરવા અને પ્રસાદની વ્‍યવસ્‍થા કરેલ અને બાળકોને જે સ્‍મશાનમા જવાનો ભય હતો તે મહાઆરતી દ્વારા દુર કરવાનો પ્રયત્‍ન કરેલ હતો.(તસ્‍વીર - અહેવાલઃ સલીમ વલોરા -લોધીકા)

(10:31 am IST)