Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

કચ્છના ગાંધીધામમાં ‘ધરાર પ્રેમી’એ છરી ઝીંકી યુવાન વિધવા મહિલાની હત્યા કરી

ધરાર પ્રેમીના પાગલપનને કારણે ત્રણ સંતાનો થયા નોધારા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨

 કચ્છના ગાંધીધામમાં ગળપાદર ગામ નજીક આવેલી જીઆઇડીસીમાં અંજારના ધરાર પ્રેમી’એ ભરબપોરે છરી વડે ૩૧ વર્ષિય વિધવાની તેની બેનપણીની નજર સમક્ષ ઘાતકી હત્યા કરી નાંખી હતી.

મરનાર મહિલા મૂળ ઉત્તર પ્રદેશની વતની હતી અને જીઆઇડીસીની વિવિધ ફેક્ટરીઓમાંથી નીકળતો કચરો વીણીને પેટ ભરતી હતી.

ઘટના અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે મૃતક રીમાદેવી જ્યનાથ નિષાદની બેનપણી અને હત્યાની સાક્ષી એવી શકીના રમજાન વીરા (રહે. અંજાર)એ આપેલી ફરિયાદના આધારે બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

રીમાદેવી ઘણાં સમયથી જીઆઇડીસીમાં કચરો વીણીને ભંગારવાડે વેચીને પેટિયું રળતી હતી. ૧૧ વર્ષ પૂર્વે તેના લગ્ન થયેલાં, પાછળથી પતિનું મૃત્યુ થઈ ગયું હતું. ગાંધીધામના ભારતનગરમાં તે સંતાનો સાથે રહેતી હતી. શકીના અને રીમા બેઉ સાથે કચરો વીણતાં હોઈ એકમેકના ગાઢ મિત્ર બની ગયાં હતા.

રીમાને અંજારનો મિતુલ ઊર્ફે મલો વિષ્ણુભાઈ પટેલ (રહે. એકતાનગર, અંજાર) નામનો યુવક તેની સાથે પ્રેમ સંબંધ રાખવા અને લગ્ન કરવા અવારનવાર દબાણ કરતો હતો. પરંતુ, રીમાદેવીને તેની સાથે સંબંધ રાખવામાં રસ નહોતો. જેથી તે મારકૂટ કરી ધાક-ધમકી કરતો રહેતો હતો. મલાએ અનેકવાર

બપોરે એક વાગ્યાના અરસામાં જીઆઇડીસીમાં અશોક ગોડાઉન પાછળ શકીના અને રીમાદેવી બેઉ કચરો વીણતાં હતા ત્યારે મલો મોટર સાયકલ પર તેના સાગરીત સાથે આવ્યો હતો. મલાએ રીમાદેવી સાથે જબરદસ્તી કરતાં રીમાદેવીએ તેને ગાળો ભાંડી હતી. જેથી સાગરીતે મલા પાસે છરી માંગી રીમાદેવી અને શકીના બેઉને મારી નાખવાની વાત કરી તેને ઉશ્કેર્યો હતો. ઉશ્કેરાયેલાં મલાએ તેની ભેઠમાં રહેલી છરી કાઢીને શકીનાની નજર સમક્ષ રીમાદેવીની છાતી અને પેટમાં ખચાખચ ઘા ઝીંકી દીધાં હતા. ત્યારબાદ બેઉ જણે શકીનાને બનાવ અંગે કોઈને વાત કરી તો તને પણ પતાવી દઈશું તેવી ધમકી આપી હતી. ઘટનાથી ગભરાઈ ગયેલી શકીના બે હાથ જોડીને ત્યાંથી નાસી છૂટી હતી. ઘટના અંગે જાણ થતાં સ્થળ પર ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસ ટૂકડી દોડી આવી હતી. જો કે, રીમાદેવીનું સ્થળ પર જ મૃત્યુ

નીપજી ચૂક્યું હતું. પોલીસે મિતુલ ઊર્ફે મલા અને તેના સાગરીત વિરુધ્ધ હત્યા સહિતની કલમો તળે ગુનો નોંધી બેઉને ઝડપી લેવા

તપાસ હાથ ધરી છે.

(10:36 am IST)