Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

મચ્‍છુ હોનારતની વરસી : ૨૧ સાયરન વગાડી : મૌન રેલી સાથે દિવંગતોને અપાઈ શ્રદ્ધાંજલી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૨ : ૧૧ ઓગસ્‍ટ, ૧૯૭૯ના રોજ સર્જાયેલી મચ્‍છુ જળ પ્રલયની ગોઝારી દુર્ઘટના વિશ્વની સૌથી મોટી જળ પ્રલયની દુર્ઘટના પૈકીની એક ગણાય છે. ૧૧ ઓગસ્‍ટ, ૧૯૭૯ ના રોજ બપોરના ૩ વાગ્‍યાની આસપાસ ઉપરવાસના ભારે વરસાદથી મોરબીનો વિશાળકાય મચ્‍છુ ડેમ તૂટયો હતો.

આ સાથે જ મચ્‍છુ ડેમના પાણી યમરાજ બનીને મોરબી શહેર ઉપર તૂટી પડ્‍યા હતા અને આખું મોરબી જળમગ્ન બની ગયું હતું. એક જ જાટકે મોરબી આખું તબાહ થઈ ગયું હતું. મચ્‍છુના પૂરે પળવારમાં જ મોરબીને સ્‍મશાન બનાવી દેતા હજારો લોકો અને સેંકડો પશુઓ મોતની આગોશમાં સમાય ગયા હતા. જાનમાલની ભયાનક ખુવારી થઈ હતી.

મચ્‍છુ જળ પ્રલયની દુર્ઘટના એટલી બધી ભયાનક હતી કે મોરબી શહેરમાં ચારેકોર વિનાશ સિવાય કંઈ બચ્‍યું ન હતું. આજે પણ મચ્‍છુ પ્રલયની દુર્ઘટના તાજી થાય ત્‍યારે પુરગ્રસ્‍તો એ પુરની ભયાનકતા કાળજું કંપાવી દે છે.

મચ્‍છુ જળ પ્રલયની દુર્ઘટના બાદ ખુમારી અને જીંદાદિલીથી મોરબીવાસીઓ ફિનિક્‍સ પંખીની જેમ બેઠા થઈને આપબળે અકલ્‍પનિય વિકાસ સાધ્‍યો છે. ખાસ કરીને સીરામીક, ઘડિયાળ સહિતના આપબળે વિકસેલા ઉધોગોને કારણે મોરબીએ આત્‍મનિર્ભર બનીને ભારત જ નહીં બલ્‍કે વિશ્વમાં કીર્તિમાનો સ્‍થાપિત કરી દીધા છે. જો કે બિહામણી સ્‍મળતિઓ છોડી જનાર મચ્‍છુ પ્રલયને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શકયા નથી.

દર વર્ષે મચ્‍છુ હોનારતની વરસી આવે ત્‍યારે મોરબીવાસીઓ અચૂક પણ દિવગંતોને શ્રદ્ધાસુમન પાઠવે છે. અને દર વર્ષેની જેમ મોરબી પાલિકા દ્વારા આજે મચ્‍છુ પ્રલયની ૪૩ વરસીએ હોનારત બન્‍યાના સમયે પાલિકા દ્વારા ૨૧ સાયરન વગાડવામાં આવ્‍યા હતા. પ્રથમ સાયરન શરૂ થતાં મોરબી નગરપાલિકા કચેરીએથી મૌન રેલી પ્રસ્‍થાન થઈ હતી.

આ મૌન રેલીમાં રાજ્‍ય મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહન કુંડારિયા, પૂર્વ ધારાસભ્‍ય કાંતિલાલ અમળતિયા, આરએસએસ અગ્રણી જ્‍યંતિભાઈ ભાડેસિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારિયા, ભાજપ અગ્રણી પ્રદીપભાઈ વાળા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી ચેરમેન સુરેશ દેસાઈ, પાલિકાના સભ્‍યો, ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, પાલિકાના કર્મચારીઓ અને મોટી સંખ્‍યામાં નગરજનો જોડાયા હતા.

હોનારતના દિવગતોને સલામી આપવા માટે ૨૧ સાયરન પુરા થાય તે પહેલાં આ મૌન રેલી મણીમંદિર ખાતે પહોંચી હોનારતના મળતાત્‍માઓના સ્‍મળતિ સ્‍તંભ ખાતે રાજયમંત્રી, સાંસદ, નગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ, રાજનેતા, સામાજિક, સંસ્‍થાકીય, ઔધોગિક સહિતના તમામ ક્ષેત્રેના અગ્રણીઓ અને મોટી સંખ્‍યામાં લોકોએ પુષ્‍પાજંલી અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

જો કે પૂર્ણ અસરગ્રસ્‍તોને પોતાના સ્‍વજનોને શ્રદ્ધાંજલિ આપતી વખતે નજર સામે મચ્‍છુના પુરની ભયાનકતાની યાદ તાજી થતા તેમની આંખમાંથી આસુના પુર વહ્યા હતા. જો કે આજે સમગ્ર મોરબીવાસીઓએ સાયરન વાગતાની સાથે જે સ્‍થળે હોય ત્‍યાં ઉભા રહી બે મિનિટ મૌન પાળીને હોનારતના મળતાત્‍માઓને ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપી હતી.

(2:03 pm IST)