Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

આઝાદી કા અમૃત મહોત્સવ

ગોંડલ : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયુ હતું. જેતપુર રોડ સરદાર ચોકથી તિરંગા યાત્રા નીકળી હતી. જે જેલચોક, બસસ્ટેન્ડ ચોક, ગુંદાળા દરવાજાથી પરત થઈ હતી. તિરંગા યાત્રામાં શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત, ગણેશભાઈ જાડેજા,અલ્પેશભાઈ ઢોલરીયા,અશોકભાઈ પીપળીયા,પિન્ટુભાઈ ચુડાસમા,અશોકભાઈ પરવડીયા સહિત બહોળી સંખ્યામાં જોડાયા હતા.

(4:17 pm IST)