Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

પોરબંદરના દરિયામાં ડૂબતા જહાજના ૯ ખલાસીઓને ઇન્ડિયન કોસ્ટગાર્ડે બચાવ્યા : અન્ય એક લાપત્તા ખલાસીને પાકિસ્તાન નેવીએ ઉગાર્યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૨ : પોરબંદરથી દક્ષિણ દિશામાં દરિયામાં ડૂબી રહેલ જહાજના ૯ ખલાસીઓને ભારતીય કોસ્ટ ગાર્ડે રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને આબાદ રીતે બચાવી લીધા હતા.  પોરબંદર કાંઠાથી દક્ષિણે ૪૦૦ નોટીકલ માઇલ દુર દરિયામાં જમનાસાગર નામનું જહાજ ડૂબી રહ્યાનો સંદેશો મળતા ભારતીય મુંબઇ કોસ્ટગાર્ડે તુરંત તેના અદ્યતન પેટ્રોલીંગ શીપથી પહોંચી જઇને ડૂબતા જહાજના ૯ ખલાસીઓને બચાવી લીધા હતા.

જમનાસાગર જહાજ ડૂબી રહેલ જહાજ સમયે અન્ય એક ખલાસી લાપતા થયેલ જે જળસીમાએ પેટ્રોલીંગમાં રહેલ પાકિસ્તાન નેવીને મળતા આ લાપતા ખલાસીને બચાવી લીધો હતો.(

(1:46 pm IST)