Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

જુનાગઢ વેલનાથ ધામે રવિવારે ધ્‍વજારોહણ

ગુજરાત ચુંવાડીયા કોળી સમાજ દ્વારા આયોજનઃ ગામેગામ સ્‍વાગત

રાજકોટઃ ગુજરાત ચુંવાડીયા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ શ્રીધર્મેશ મોહનભાઇ જંજવાડીયા દ્વારા દિવ્‍ય ધ્‍વજારોહણનો ભવ્‍ય કાર્યક્રમ તા.૧૪ને રવિવારે સવારે ૦૭ કલાકે ગોંડલ રોડ ભરૂડી ટોલ પ્‍લાઝાથી આગળ શિવાય વે બ્રિજથી જુનાગઢ ભવનાથ તળેટી વેલનાથધામ ખાતેદિવ્‍ય અને ભવ્‍ય દિવ્‍ય ધ્‍વજારોહણ થવા જઇ રહ્યુ છે.

સમગ્ર ગુજરાત પંથકમાંથી ચુંવાડીયા કોળી સમાજ તેમજ ધર્મપ્રેમીજનો વાહનોના કાફલા સાથે વેલનાથમય વાતાવરણમાં બનાવશે. ધ્‍વજાનું રૂટમાં આવતા દરેક ગામમાં સ્‍વાગત થશે તેમજ જુનાગઢ ખાતે ડિજે અને ઢોલ નગારા સાથે ભકિતમય વાતાવરણમાં ધ્‍વજારોહણ કરવામાં આવશે.

આ ભવ્‍ય ધ્‍વજારોહણ પ્રસંગને લઇને છેલ્‍લા એક મહિનાથી ગુજરાત ચુંવાડીયા કોળી સમાજના સમગ્ર સંગઠન મહેનત કરી રહ્યુે હોવાનું યાદીમાં જણાવાયું છે. દિવ્‍ય ધ્‍વજારોહણ પ્રસંગ પૂર્ણ થયે ભવનાથ તળેટી શ્રી ભારતી આશ્રમ ખાતે મહાપ્રસાદનું આયોજન રાખેલ છે.

તસ્‍વીરમાં જીલ્લા યુવા પ્રમુખ દેવભાઇ કોરડીયા, શહેર પ્રભારી સુભાષભાઇ અઘોલા, સમાજ અગ્રણી દેવાંગભાઇ કુકાવા અને પટેલ સમાજ અગ્રણી જીજ્ઞેશભાઇ રાબડિયા નજરે પડે છે.

(4:26 pm IST)