Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

મોરબી ખાતે ૨૩મીથી સાત દિવસીય ઓશો નો-માઈન્ડ ગ્રુપ થેરેપી : ધ્યાન પ્રયોગો શરૂ થશે

પુણેના સ્વામી ધ્યાન આનંદ શિબિરનું સંચાલન કરશે : ૩૦મીએ સન્યાસ ઉત્સવ

રાજકોટ : મોરબી ખાતે આગામી ૨૩મી નવેમ્બરથી સાત દિવસીય ઓશો નો-માઈન્ડ ગ્રુપ થેરેપી અને વિભિન્ન ધ્યાન પ્રયોગનું આયોજન કરવામાં આવ્યુ છે. શિબિરનું સંચાલન પુણેના સ્વામી ધ્યાન આનંદ કરશે. ૩૦મીએ સન્યાસ મહોત્સવ યોજાશે.

મોરબીના સાજનપાર ખાતે આવેલ ઓશો કેશર ફાર્મ ખાતે આયોજીત આ શિબિરનું ઉદ્દઘાટન ૨૩મીએ સવારે ૬:૩૦ વાગ્યે થશે. સાત દિવસ સુધી આ શિબિર યોજાશે. ૩૦મીએ સન્યાસ મહોત્સવ યોજાનાર છે.

રહેવાની વ્યવસ્થા માટે ૪ મિત્રો માટે રૂ.૪,૨૦૦ જયારે ત્રણ મિત્રો માટે રૂ.૫,૮૦૦ ફી રાખેલ છે. આ અંગે વધુ માહિતી માટે સ્વામી ધ્યાન આનંદ (પુણે)નો મો.૦૮૮૫૫૦ ૩૯૧૩૬ ઉપર સંપર્ક કરી શકાશે.

(2:41 pm IST)