Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

નેહરૂ યુવા કેન્દ્ર જામનગરના યુવક મંડળ વિકાસ અભિયાન પૂર્ણ કરાયું

જામનગર તા. ૧૩ : ભારતસરકારના  યુવા કાર્ય અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર જામનગર જિલ્લા દ્વારા ૭પ્ર૧પ્ર૨૦૨૧ ના રોજ જામનગર આઇ.ટી.આઇ કોલેજમાં યુવક મંડળ વિકાસ અભિયાનનું સમાપન કરવામાં આવ્યું હતું.. આ અભિયાન હેઠળ  તા. ૧૫પ્ર ૧૨પ્ર૨૦૨૦ થી કામગીરી શરૂ કરવામાં આવેલ હતી. જેમાં જામનગર જિલ્લાના  ગામડે ગામડે  જઈને યુવક મંડળની રચના કરવામાં આવી તથા દરેક ગામના યુવા મંડળના પ્રમુખ, ઉપપ્રમુખની મિટિંગ  કરીને કાર્યકમનું સમાપન કર્યું. જેમાં કમીટીના સભ્ય, નોડલ  અધિકારી આઇ.ટી.આઇના પ્રિન્સીપાલ શ્રી એમ. એમ. બોચિયા તથા શેખપાટ ગામના સરપંચશ્રી ભગવાનભાઈ, પ્રગતિ યુથ કલબના હરીશભાઈ ખિમસુરિયા ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર નહેરૂ યુવા કેન્દ્રના જિલ્લા યુવા સંયોજક શિખર રસ્તોગીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ  સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી  કાર્યક્રમનું સંચાલન નેહરૂ યુવા કેન્દ્રના એન.વાય.વી. આલવાણી જયશ્રી અને ગોહિલ વૈશાલીએ કરી હતી.

(1:16 pm IST)