Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

મોરબી જીલ્લામાં કોરોનાના માત્ર ૦૫ નવા કેસ, વધુ ૦૯ દર્દી સ્‍વસ્‍થ

મોરબી,તા.૧૩ : જીલ્લામાં કોરોના કેસો ઘટી રહ્યા છે આજે જીલ્લાના ત્રણ તાલુકામાં માત્ર ૦૫ નવા કેસો નોંધાયા છે તો વધુ ૦૯ દર્દીઓ જીલ્લામાં સ્‍વસ્‍થ થયા છે

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૩ કેસ જેમાં ૦૧ ગ્રામ્‍ય અને ૦૨ શહેરી વિસ્‍તારમાં, વાંકાનેરનો ૦૧ કેસ શહેરી વિસ્‍તારમાં જયારે ટંકારાનો ૦૧ કેસ ગ્રામ્‍ય પંથકમાં મળીને નવા ૦૫ કેસો નોંધાયા છે જયારે જીલ્લામાં વધુ ૦૯ દર્દી સ્‍વસ્‍થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૩૨૧૪ થયો છે જેમાં ૮૦ એક્‍ટીવ કેસ છે અત્‍યાર સુધીમાં કુલ ૨૯૨૩ દર્દીઓ સ્‍વસ્‍થ થયા છે.

(1:19 pm IST)