Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

સાવરકુંડલામાં સંતાન પ્રાપ્તિની વિધીના નામે દુષ્કર્મ આચરનાર કેશવદાસ પરમારની ધરપકડ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૩ : સાવરકુંડલાના વિર મેઘમાયા નગરમાં રહેતા અને પોતાના સમાજના ગુરૂના નામે ઓળખાતા ૬પ વર્ષ જેટલી ઉંમર ધરાવતા કેશવદાસ નાનકદાસ પરમાર નામના શખ્સે પોતાના જ સમાજની એક ર૪ વર્ષની પરિણિતાને બે પુત્રી પછી પુત્રનો જન્મ થાય તેની વિધિ કરવાના બહાને વિકૃતિની તમામ સીમા પાર કરી દીધી હોવાની પોલીસ ફરીયાદ ભોગ બનનારે નોંધાવી છે આ ફરીયાદી પરિણિતાને બે દિકરી છે અને તે બે દિકરી ઉપર દિકરાનો જન્મ થાય તેવી વિધિ કરવાના બહાને બન્ને સીનીયર સીટીઝનની ઉમરના કેશવદાસે સમાજના ગુરૂ તરીકે આ પરિણિતા સાથે અડપલા શરૂ કર્યા હતા અને આખરે આ પરિણિતાની બન્ને માસુમ પુત્રીઓને મારી નાખવાની ધમકી આપીને વિધિના બહાને ફસાઇ ગયેલી આ પરિણીતા ઉપર બે વખત કુકર્મ આચર્યું હતું.

આ બનાવ અંગે તપાસનીશ અધિકારી સાવરકુંડલાના પીઆઇ રાકેશ વસાવાએ જણાવ્યું હતું કે, આઘટનાની પોલીસ ફરીયાદ ન થાય તેના માટે પ્રયાસો કરાયા હતા પણ ભોગ બનનારે હિંમત કરી અને પોલીસ ફરીયાદ નોંધાવી છે અને પોલીસે આ ફરીયાદ નોંધાયાના ગણત્રીના કલાકોમાં જ આરોપી કેશવદાસની અટક કરી અને તેના કોરોના ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરી છે તેના મેડીકલ પછી પોલીસ રિમાન્ડ સહિતના મુદાઓ માટે આગળની કાર્યવાહી હાથ ધરનાર છે.

(3:43 pm IST)