Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

વિજયભાઇ અને સી.આર.પાટીલ આજે સાંજે ભાવનગર અને જામનગરમાં બે જાહેરસભા ગજવશે

(મુકુંદ બદિયાણી -મેઘના વિપુલ હિરાણી દ્વારા) જામનગર -ભાવનગર,તા. ૧૨: સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્‍યો છે. ત્‍યારે આજે સાંજે મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ભાવનગરમાં સાંજે જાહેરસભા સંબોધશે. જ્‍યારે કાલે જામનગરમાં ચૂંટણી જાહેરસભાનું આયોજન કરાયું છે.

ભાવનગર

ભાવનગર : મહાનગરપાલિકાની ચૂંટણીને લઇ રાજ્‍યના મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આજે તા. ૧૨ને શુક્રવારે સાંજે ભાવનગર શહેરમાં પ્રચારર્યે આવશે. સાંજે ૭ કલાકે બોર તળા બાલવાટીકા ખાતે અને સાંજે ૭:૩૦ કલાકે શહેરમાં શિવાજી સર્કલ ખાતે વિશાળ જનમેદનીને મુખ્‍યમંત્રી સંબોધિત કરશે. બન્ને સભામાં પ્રદેશ પ્રમુખ હાજર રહેશે તેમ શહેર પ્રમુખ રાજીવ પંડયા, મહામંત્રી યોગેશ બદાણીએ જણાવ્‍યું હતું.

જામનગર

જામનગર :  મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને સી.આર.પાટીલ સભા કરશે.મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે ચાંદી બજાર અને ધનવંતરી ખાતે સભાનું આયોજન કરાયું હોવાનું જામનગર શહેર પ્રમુખ વિમલ કગથરાએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્‍યું હતું.

      જેમાં પ્રથમ સભા ધન્વંતરિ ગ્રાઉન્ડ, જામનગર ખાતે સાંજે 6.30 વાગ્યે અને બીજી સભા ચાંદીબજાર, જામનગર ખાતે  સાંજે 7.30 વાગ્યે યોજાશે.

     વધુ વિગત માટે ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગ, જામનગર મહાનગરના 

આશિષ કંટારીયા,

સંપર્ક : 98242 11445 અથવા

ભાર્ગવ ઠાકર

સંપર્ક : 9328296960,    

           9727396960 કરવા જણાવ્યું છે.

(10:44 am IST)