Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

જામકંડોરણા - જેતપુર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની સીટો માટે જામકંડોરણા ખાતે કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની અધ્યક્ષતામાં ઉમેદવારો સાથે વિજય વિશ્વાસ સંમેલન યોજાયું

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી: જામકંડોરણા ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ના અધ્યક્ષ સ્થાને જામકંડોરણા જેતપુર તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત ની સીટો માટે ઉમેદવારો નક્કી થયા હતા તેમની જાહેરાત કરવામાં આવી હતી અને વિજય વિશ્વાસ સંમેલન સાથે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવેલ કે તેમના પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા આ વિસ્તારના હતા અને તેમને બતાવ્યા મુજબ આ વિસ્તારનો વિકાસ કરવા માટે સતત સક્રિય છું અને એ ભાવ આપ સર્વે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સીટ ઉપર રાખવાનો છે હવે  અને આપ સૌનો ભારતીય જનતા પાર્ટી ન કમળના નિશાન ઉપર વિજય  થવાનો  છે ત્યારે આપ સૌને હું આ વિજય વિશ્વાસ સંમેલનમાં અભિનંદન સાથે આપ સૌનો જંગી બહુમતીથી વિજય થાય તેવી શુભેચ્છા પાઠવું છું

વિજય વિશ્વાસ સંમેલનમાં રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા રાજકોટ જિલ્લા ભાજપ ના ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયા જામકંડોરણા ભાજપના પ્રમુખ ચંદુભાઇ ચૌહાણ જામકંડોરણા માર્કેટીંગ યાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઈ બોદર જસમતભાઈ કોયાણી કનકસિંહ જાડેજા ચીમન ભાઈ પાનસુરીયા ખીમજીભાઈ બગડા વિપુલભાઈ બાલધા સહિતના અગ્રણીઓ તેમજ જેતપુર શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ સરપંચો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

(2:24 pm IST)