Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ભાજપ પ્રદેશ અધ્‍યક્ષના નિર્ણયને આવકારતા ગોસ્‍વામી

 (નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.૧૩ : વાંકાનેરના યુવા અગ્રણી અને મોરબી જીલ્લા ભાજપ યુવા પાંખના મહામંત્રી ચેતનગીરી સુરેશગીરી ગોસ્‍વામીએ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલને પત્ર પાઠવી પાર્લામેન્‍ટરી બોર્ડે લીધેલા નિર્ણયને આવકારી ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર્તાઓને સ્‍થાનિક સ્‍વરાજયની ચુંટણીમાં તક મળે હોદ્દેદારોના સગા વહાલાઓને તથા ૬૦ વર્ષથી મોટી ઉમરના અને ૩ ટર્મથી જે તે સંસ્‍થામાં ચુંટાયેલા લોકોને આવનારી ચુંટણીમાં ભાજપની ટીકીટ નહી આપવાના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્‍યો છે.

દેશભરમાં ભાજપ પરિવારનો વ્‍યાપ વધી રહ્યો છે. ભાજપની વિચારધારામાં કાર્યકર્તાઓનું ઘડતર થાય સામાજીક પરિવર્તન, પાયાની જરૂરિયાતો, પ્રજાના પ્રશ્નોને વાંચા આપી શકીએ તે રીતે પાર્ટીના કાર્યકર્તાઓમાં નવુ જોમ અને જાણકારી આપતા આ પરિવર્તન સાથેના નિર્ણય ચેતનગીરી સુરેશગીરી ગોસ્‍વામીએ આવકારી પ્રદેશ અધ્‍યક્ષ અને પાર્લામેન્‍ટરી બોર્ડને શુભેચ્‍છા સાથેનો પત્ર પાઠવ્‍યો છે.

 

(10:50 am IST)