Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

જામનગરના લાલપુરમાં ૩.૫ની તિવ્રતાનો ભૂકંપ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૩ : જામનગર જિલ્લાના લાલપુર નજીક આજે ૩.૫ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે ૧૦.૩૨ વાગ્યે જામનગર જિલ્લાના લાલપુરથી ૨૭ કિ.મી. દૂર ૩.૫ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકાથી લોકોમાં ભય પ્રસરી ગયો હતો.

આ પહેલા આજે સવારે ૬ વાગ્યે કચ્છના રાપરથી ૨૯ કિ.મી. દૂર દક્ષિણ દિશા તરફ ૧.૮ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

(11:11 am IST)