Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ચોટીલા ભાજપ અગ્રણી અને પૂર્વ પાલિકા પ્રમુખનું પક્ષ માંથી રાજીનામું રાજકિય ખળભળાટ

 (હેમલ શાહ દ્વારા) ચોટીલા,તા.૧૩ :  રબારી માલધારી સમાજનાં અગ્રણી અને પ્રથમ પાલિકાનાં પ્રથમ પ્રમુખ બેચરભાઇ પરમારે ભાજપ પક્ષનાં સક્રિય સભ્ય તરીકે રાજીનામું આપતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો છવાયેલ છે.

પરમારે જીલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખીને પોતે અંગત કારણોસર રાજીનામું આપતા હોવાનું જણાવી લેટર સ્પીડ પોસ્ટ થી મોકલી આપતા ખળભળાટ ઉઠેલ છે.

ઉલ્લેખનીય છે કે પરમાર ૨૫ વર્ષ થી ભાજપ સાથે સંકળાયેલ હતા જેઓ એક ટર્મ તાલુકાની યુવા પાખનાં પ્રમુખ, ત્યાર બાદ પ્રથમ પાલિકાનાં પ્રથમ પ્રમુખ તરીકે તેમજ સંગઠનમાં શહેર પ્રમુખ તરીકે પણ રહી ચુકેલ છે.

બેચરભાઇએ વર્તમાન પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં ૪માં ટિકિટ માટે દાવેદારી કરેલ હતી

પાર્ટી છોડવા અંગે વાતચીત કરતા તેઓએ જણાવેલ પક્ષમાં ૨૫ વર્ષ થી પાર્ટી નું કામ કરેલ છે તેમ છતા છેલ્લા પાંચ વર્ષથી મારી સતત અવગણના અને ઉપેક્ષા થતી રહી છે. સ્વમાનનાં ભોગે રાજકારણ શક્ય નહોતું એટલે છેવટે પક્ષ છોડેલ છે. રાજકીય જીવનમાં ટેકેદારો શુભેચ્છકો સાથે વાતચીત કરી નિર્ણય કરીશ તેમ જણાવેલ છે.

(11:28 am IST)