Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

પોરબંદરના કેદારેશ્વર મંદિરે આવતીકાલે કાળભૈરવ દાદાનો પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

પોરબંદર, તા. ૧૩ :. પૌરાણિક કેદારેશ્વર મંદિરમાં આવતીકાલે કાળભૈરવ દાદાનો પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ યોજાનાર છે.

સુદામાજીના જમાનામાં બનેલુ અતિ પૌરાણિક કેદારેશ્વર મંદિરમાં કાળભૈરવ દાદાનું નવું મંદિર બનાવવામાં આવેલુ હોય અને તે રીતે આ કેદારેશ્વરમ્‌ મંદિરમાં ‘શિવનો દરબાર' પૂર્ણ થઈ ગયેલ છે અને આ મંદિરમાં અગાઉ ગણેશજી, હનુમાનજી, શનિદેવ જેવા અનેક મંદિરો નવા બનાવવામાં આવેલ હોય અને હવે કાળભૈરવ દાદાનું મંદિર નવુ બનાવેલુ હોય અને દાતા પ્રવિણભાઈ ખોરાવા દ્વારા તેમના માતુશ્રી સ્‍વ. નાથીબેન રતનશીભાઈ ખોરાવાની સ્‍મૃતિમાં કાળભૈરવ દાદાની મૂર્તિનું દાન કરેલુ હોય અને તે રીતે કેદારેશ્વર મંદિરમાં વધુ એક મંદિર બન્‍યુ છે. તા. ૧૪-૨-૨૦૨૧ને રવિવારે સવારે ૯.૦૦ વાગ્‍યાથી મૂર્તિ પ્રાણ-પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું આયોજન કરેલુ હોય અને સાથે સાથે ધજાજી મનોરથનું આયોજન પણ કરેલ હોય અને તેથી સૌ ભકતોને સવારે ૯.૦૦ વાગ્‍યાથી બપોરે ૧.૦૦ વાગ્‍યા સુધીમાં હાજરી આપવા પુજારી હસુભાઈ પોરીયા તથા વ્‍યવસ્‍થાપકશ્રી ભરતભાઈ લાખાણી, એડવોકેટ દ્વારા આમંત્રણ એક યાદીમાં આપેલ છે.

(11:43 am IST)