Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ભજનીક જગમાલ બારોટનું સોમવારે બેસણું

રાજકોટ : પ.પૂ. શ્રી જગમાલબાપુ બારોટ ભજનની દુનિયામાં બુલંદ કંઠનો બાદશાહ સ્‍ટેજના શિરતાજ અને ભજન સમ્રાટ રત્‍ન શ્રી જગમાલ બારોટનું દુઃખદ નિધન થયુ છે. ચેતનભાઈ, જગમાલભાઈ તથા વિક્રમભાઈ જગમાલભાઇ અને ભાઈ નાગદાનભાઈ વાલાભાઈ તથા સમગ્ર બારોટ પરીવારે સ્‍વજન ગુમાવ્‍યા છે. સદ્દગત જગમાલ બારોટનું બેસણું મોવડી પ્‍લોટ, શ્રીનાથજી સોસાયટી, હિરેન હોલની સામે, શેરી નં.૫, રાજકોટ ખાતે તા. ૧૫ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

(1:07 pm IST)