Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

જૂનાગઢ : સિંહ બચ્‍ચાની હત્‍યા -શિકારના મામલે પકડાયેલા શકમંદોની રીમાન્‍ડ મંજૂર

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૩: વેરાવળ રેન્‍જ, જૂનાગઢ વન વિભાગ,ના રેન્‍જ ગુન્‍હા સંબંધે સિંહોના શિકાર કરવાના મામલે શકમંદોની પાંચ દિવસની રીમાન્‍ડ કોર્ટે મંજૂર કરી હતી.

સઘન તપાસ દરમિયાન અને ચોક્કસ બાતમી ના આધારે કાર્યવાહી કરતા, શંકાસ્‍પદ ઈસમ  કે જે ગુન્‍હેગારોને ફાંસલાઓ  બનાવીને વેચાણ કરેલ હોવાનું સામે આવ્‍યું હતું, તેને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્‍યો હતો. તેની પ્રાથમિક પૂછપરછને પગલે વધુ શંકાસ્‍પદ વ્‍યક્‍તિઓને પણ નજીકના વિસ્‍તારોમાંથી પકડવામાં આવ્‍યા હતા અને પૂછપરછ કરવામાં આવી હતી. 

આ શકમંદોમાંથી ૧ જુનાગઢ ના ડુંગરપુર ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્‍યું હતું અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે ભૂતકાળમાં ૧ સિંહ બચ્‍ચાને ફસાવી અને તેની હત્‍યા કરી હોવાનું જણાવેલ છે અને સંડોવાયેલા શિકારીઓ ના નામ પણ આપ્‍યા છે.

ઉપરોક્‍ત પૂછપરછ ના આધારે રેંજ ફોરેસ્‍ટ ઓફિસર, ડુંગર દક્ષિણ રેંજ, જુનાગઢ દ્વારા ગુનો નોંધવામાં આવ્‍યો છે અને હાલમાં વધુ તપાસ ચાલી રહી છે.  શકમંદોની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તાપસ અને પૂછપરછ માટે અદાલતમાં રજુ કરતાં ૫ દિવસની રિમાન્‍ડ મળેલ છે.

(1:11 pm IST)