Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

શ્રી લોહાણા મહાપરિષદના વરિષ્‍ઠ ઉપપ્રમુખપદે જામનગરના જીતુભાઇ લાલ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૩ : શ્રી લોહાણા મહાપરિષદના વરિષ્‍ઠ ઉપપ્રમુખપદે પ્રમુખ સતિષભાઇ ડી. વિઠ્ઠલાણીએ જામનગરના જીતુભાઇ લાલની વરણી કરી છે.

શ્રી લોહાણા મહાપરીષદએ સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશીઓની માતૃસંસ્‍થા છે. સંગઠન, સેવા સમર્પણ સૌહાર્દ, સદ્દભાવ અને એકબીજાના સાથ સહકારથી જ્ઞાતિહિતની વિવિધ પ્રવૃતિઓ કરી માતૃસંસ્‍થાના આશીર્વાદ ઘર ઘર સુધી પહોંચે તે જરૂરી છે.

વિવિધ સમાજ કલ્‍યાણના કાર્યોની કદર કરી નવરચના પામેલ મહાસમિતિ માટે માતૃસંસ્‍થા શ્રી લોહાણા મહાપરિષદના વરિષ્‍ઠ ઉપપ્રમુખ તરીકે જીતુભાઇ લાલને નેતૃત્‍વ  સોંપવામાં આવ્‍યું છે તેમ પ્રમુખ સતિષભાઇ ડી.વિઠ્ઠલાણીએ જણાવ્‍યું છે

(1:36 pm IST)