Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

વાંકાનેરના પીપરડીમાં બ્લાસ્ટ થતા લોકો ધરતીકંપ સમજીને બહાર દોડી ગયા

આજુબાજુ કેમિકલ પ્રસરી ગયુઃ રહેવાસીઓમાં ચિંતા વ્યાપી

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૧૩: વાંકાનેર નજીક ફેકટરીમાં થયેલ બ્લાસ્ટમાં ૪ના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. આ દુર્ઘટનાની જાણ થતાં રાજકોટ જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, વાંકાનેર મામલતદારશ્રી તથા અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

આ બ્લાસ્ટ બાદ આજુબાજુ ૧ કિ.મી.વિસ્તારમાં કેમિકલ પ્રસરી ગયુ હતુ. અને નજીકમાં રહેતા માલધારી સહિતના પરિવારજનોમાં ચિંતા પ્રસરી ગઇ હતી.

વાંકાનેરના પીપરડી અને ખેરવા નજીક આવેલ દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટની ઘટનામાં મામલતદાર તંત્ર બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં ૪ના મોત થયા છે અને ૨૦ જેટલા ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે.

આ વિસ્ફોટ એટલો શકિતશાળી હતો કે આજુ બાજુના ગામડાવાળા ધરતીકંપ સમજી ઘરની બહાર દોડી ગયા હતા અને રીતસરનું ભયનું લખલખું પ્રસરી ગયુ હતું.

બીજી બાજુ મરણ જનારની લાશ પ્લાસ્ટિક ઉડીને દુર પડે એવી રીતે મજુરની ડેડબોડી પોણો કિલોમીટર ફંગોળાઇ દુર પડી હતી.

(11:36 am IST)