Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ગુરૂવારે જૂનાગઢ ભારતી આશ્રમે પૂ.ભારતીબાપુની પ્રાર્થનાસભા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૩: જૂનાગઢ ભવનાથ અને સરખે જ અમદાવાદ શ્રી ભારતી આશ્રમમાં સંસ્થાપક અને જુના અખાડાવેં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર પૂ. વિશ્વભર ભારતીજી મહારાજ તા. ૧૧ એપ્રિલને રવિવારના રોજ બ્રહ્મલીન થતા તેઓને શ્રધ્ધાંજલી આપવા એક પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે.

 જેમાં ગુરૂવારે બપોરે ૩ થી ૬ જૂનાગઢ ભારતી આશ્રમ ખાતે પૂ. ભારતીબાપુની શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરાયું છે. જેમાં પૂ.હરીહરાનંદ ભારતીજી તેમજ કલ્યાણનંદભારતીજી સહિત સંતો પૂ. બાપુને શ્રધ્ધાસુમન અર્પણ કરશે.

વર્તમાન કોરોનાની મહામારીને લઇને આ પ્રાર્થના સભામાં આવનાર સૌ સંતો ભકતોએ માસ્ક પહેરી સેનીટાઇઝ થઇ સોશ્યલ ડીસ્ટન્સ જાળવી સરકારની ગાઇડ લાઇનનું પાલન કરવા જણાવાયું છે.

(12:50 pm IST)