Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોના વિસ્ફોટ : વધુ એક દર્દીનું મૃત્યુ : નવા 113 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 41 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 65 કેસ ,જૂનાગઢ તાલુકામાં 4 કેસ, કેશોદમાં 10 કેસ, માણાવદરમાં 9 કેસ, માંગરોળ અને માળીયામાં 6-6 કેસ, વિસાવદરમાં 5 કેસ, વંથલીમાં 4 કેસ,ભેસાણ અને મેંદરડામાં 2-2 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, આજે કોરોનાના નવા 113 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ એક દર્દીનું મોત થયું છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 41 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 113 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 65 કેસ ,જૂનાગઢ તાલુકામાં 4 કેસ, કેશોદમાં 10 કેસ, માણાવદરમાં 9 કેસ, માંગરોળ અને માળીયામાં 6-6 કેસ, વિસાવદરમાં 5 કેસ, વંથલીમાં 4 કેસ,ભેસાણ અને મેંદરડામાં 2-2 કેસ નોંધાયા છે

 

(8:13 pm IST)