Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ગોંડલના દેરડી(કુંભાજી)ના ખાતરા પરિવારે નવો રાહ ચીંધ્યોઃ ઓનલાઈન ઉતરક્રિયા વિધી

કોરોના મહામારીમાં અન્ય કોઈને ઉની આંચ ન આવે તે માટે નિર્ણય

(અશોક પટેલ દ્વારા) મોવિયા, તા. ૧૩ :. ગોંડલ તાલુકાના દેરડી(કું.) ગામે ખાતરા પરિવારમાં સવિતાબેન જયંતીભાઈ ખાતરાનું અવસાન થયું. કુદરતનો ક્રમ ગોઠવાયેલો જ છે. તમે મન મનાવી આ પરિવારે એવો નિર્ધાર કર્યો કે કુટુંબમાંથી એક સભ્યનું અવસાન થયુ છે, પરંતુ બીજા કોઈને ઉની આંચ ન આવે તેની જવાબદારી પણ આપણી જ છે. તે માટે નવો રાહ ચિંધ્યો કે બધા જ લોકો સોશ્યલ મિડીયાના માધ્યમથી કામ કરે છે, તો આપણે પણ આવું કંઈક વિચારીએ. તેમ માની ખાતરા પરિવાર ઉતરક્રિયા કરવા માટે વર્ચ્યુઅલ ઓનલાઈન ઉતરક્રિયામાં સગાવહાલાને જોડવા અપીલ કરી જોડવા વિનંતી કરી હતી.

આ પરિવાર દ્વારા આવી પહેલ કરવામાં આવી. જેનાથી સરકારશ્રીની ગાઈડલાઈન પણ જળવાઈ, સામાજિક પ્રસંગ, ઉતરક્રિયાની વિધી પણ થઈ. લોકોને નવો રાહ ચિંધ્યો, જે બદલ દેરડી(કુંભાજી)ના તમામ ગ્રામજનો આ કાર્યને અભિનંદન પાઠવે છે.

(11:46 am IST)