Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

મનીષ સંઘાણીની ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોર્ચાના ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક થતા અભિનંદન વર્ષા

અમરેલીઃ જીલ્લામાં કોવિડ-૧૯, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ, ધરતી કંપ હોય કે પછી કુદરતી કે કુત્રિમ આફત હોય અમરેલી જીલ્લાની જનતાની સતત ચિંતા કરતા યુવાઓના રાહબર  ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર અને ભારતીય જનતા પાર્ટીના કોઇ પણ કાર્યમાં હંમેશા સક્રિયતા દાખવતા યુવા નેતા અને અમરેલી જીલ્લા સહકારી સંઘના ચેરમેન મનીષ સંઘાણીની ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોર્ચાના ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક થતા સમગ્ર અમરેલી જીલ્લામાં એક ખુશીની લહેર જોવા મળી હતી. તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં આ નિમણુંકને આવકારતા આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. જ્યારે જીલ્લાના યુવાનો અને કાર્યકર્તા દ્વારા યુવા નેતા મનીષ સંઘાણીના કાર્યકાળ દરમીયાન ભારતીય જનતા પાર્ટી સફળતાના શિખરો સર કરે અને કદી ન નોંધાયા હોય તેવા વિક્રમી વિજય નોધાય તેવી  શુભકામના સહ અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ સંગઠનાત્મક વિવિધ નિમણૂકોમા સ્થાન પામેલ અમરેલીની યુવાશકિતને રાષ્ટ્રીય સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ અભિનંદન પાઠવ્યા છે. જાહેર કરવામાં આવેલ પ્રદેશ મોરચાની નિમણૂકોમા કિસાન મોરચાના મહામંત્રી તરીકે હિરેનભાઈ હિરપરા, યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે મનીષ સંઘાણી અને બક્ષીપંચ મોરચાના મંત્રી તરીકે મયુરભાઈ માંજરીયાની વરણીને અભિનંદન સાથે નૂતન જવાબદારી લોકસેવા-સંગઠન સેવામાં સમર્થ પુરવાર થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

(12:56 pm IST)