Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

જસદણ વિસ્‍તારના વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ/ વાલીઓ માટે ખુશીના સમાચારઃ વિજ્ઞાન પ્રવાહની કોલેજ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૧૩ : જસદણ વિસ્‍તારના જાગૃત, સતત કાર્યશીલ રહેતા ધારાસભ્‍ય કુંવરજીભાઈ બાવળીયાના પ્રયત્‍નોથી ભારતીય જનતા પક્ષની સરકારના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ ર૦રર-ર૩ ના વર્ષમાં વિજ્ઞાન પ્રવાહની સરકારી કોલેજની વહિવટી મંજુરી આપી છે.
જસદણ વિધાનસભાના ધારાસભ્‍ય કુંવરજીભાઈ બાવળીયાએ વિજ્ઞાન પ્રવાહની મંજુર થયેલ કોલેજ ચાલુ વર્ષ જુન-ર૦રર થી શરૂ કરવા પ્રયત્‍ન કરતા તેને સફળતા મળી છે.,
ચાલુ વર્ષ જુન-ર૦રર થી જસદણ સરકારી મોડેલ સ્‍કુલ ખાતેથી જ ટુંક સમયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે.
જસદણ-વિંછીયા વિસ્‍તારના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ જે એફ. વા. બી. એસ. સી.માં પ્રવેશ લેવા ઈચ્‍છતા હોય તે કોટક સાયન્‍સ કોલેજના આચાર્યશ્રી અથવા અમારો સંપર્ક કરે તેવી ધારાસભ્‍ય કુંવરજીભાઈ બાવળીયાએ વિનંતી કરી છે.
જસદણ વિસ્‍તારમાં વિજ્ઞાન પ્રવાહની સરકારી કોલેજ શરૂ થતા વિસ્‍તારના વિદ્યાર્થીઓએ
ઉંચીં ફી ભરી ખાનગી કોલજોમાં જવુ નહિ ં પડે, સાથે સ્‍થાનિક કોલજે હોવાથી હોસ્‍ટેલનો ખર્ચ પણ બચતા વાલીઓને રાહત થશે.

 

(10:57 am IST)