Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ ૫૦ વર્ષથી ચાલતા નિઃશુલ્‍ક છાશ કેન્‍દ્રની મુલાકાત લીધી

રાજકોટ : અહિંના  જંકશન પ્‍લોટ  ખાતે શ્રીમનહરલાલજી મહારાજ સ્‍થાપિત સેવા સંસ્‍થા ગીતા દ્યિાલય ટ્રસ્‍ટ (રજિસ્‍ટર્ડ ચેરિટેબલ ટ્રસ્‍ટ) દ્વારા ઇ.સ.૧૯૭૩માં નિઃશુલ્‍ક ઉનાળુ  છાશકેન્‍દ્રનો પ્રારંભ થયો હતો. છેલ્લા ૫૦ વર્ષોથી  આ સંસ્‍થા દ્વારા ઉનાળામાં  ત્રણ માસ સુધી છાશકેન્‍દ્રનું  સંચાલન થયા છે. દરરોજ  ૨૦૦ જેટલા  પરિવારોને  પરિવાર દીઠ સવા લીટર છાશનું  નિઃશુલ્‍ક વિતરણ થાય છે. તાજેતરમાં જૂનાગઢમાં સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ છાશકેન્‍દ્રની  મુલાકાત લઇને છેલ્લા ૫૦ વર્ષોથી ચાલી રહેલો આ  પુનિત સેવાયજ્ઞને બિરદાવ્‍યો હતો. તથા મંદિરમાં દર્શનનો ધર્મલાભ લીધો હતો. આ પ્રસંગે નરેન્‍દ્રસિંહ ઠાકુર, ડો. અમૃતિયા, લાલભાઇ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. તેમ  કૃષ્‍ણાકુમાર મહેતા મો.૯૮૯૮૩ ૧૮૨૮૬ ની યાદીમાં જણાવાયું છે.

(12:11 pm IST)