Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

શ્રી દ્વારકાધીશ મંદિરે કાલે 'જયેષ્ઠાભિષેક ઉત્સવ'

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા. ૧૩ : કાલે તા. ૧૪/૬/૨૦૨૨ના દિવસે શ્રીજીના જયેષ્ઠાભિષેક/ જલયાત્રા ઉત્સવને અનુલક્ષીને શ્રીજીના વિશેષ દર્શન નીચે મુજબ રહેશે તો સર્વે વૈષ્ણવોએ દર્શનનો લાભ લેવા વિનંતી તેમજ સંસ્થાની વેબસાઇટ www.dwarkadhish.orgતથા સંસ્થાના અન્ય અધિકૃત સોશ્યલ મીડીયાના માધ્યમથી ઓનલાઇન દર્શન નિહાળી શકાશે.

જે અંતર્ગત તા. ૧૪ પૂનમમાં મંગયલા આરતી સવારે ૬ કલાકે, જયેષ્ઠાભિષેક (ખુલ્લા પડદે સ્નાન) સવારે ૮ થી ૮:૪૫ કલાકે, શ્રૃંગાર આરતી સવાર. ૧૦:૪૫ કલાકે, અનોસર (બંધ) બપોરે ૧ થી ૫ સુધી, ઉત્સવ દર્શન જલયાત્રા (નાવ મનોરથ) સાંજે ૫ થી ૯:૩૦ કલાક સુધી રહેશે. તેમ વહીવટદાર શ્રી દ્વારકાધીશ મંદિર દ્વારકા અને પ્રાંત અધિકારી, દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

(3:37 pm IST)