Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

જામજાધપુર યાર્ડમાં ૪૦૦ ગુણી મગફળી પાણીમાં તણાઈ ગઈ

જામનગર જીલ્લાના જામજાધપુર માર્કેટ યાર્ડમાં મગફળી વરસાદી પાણીમાં વહેતી થઈ હતી. જામજોધપુરમાં આજે ધોધમાર વરસાદના કારણે યાર્ડમાં ૪૦૦ ગુણી ઉપર મગફળી તણાઈ ગઈ. જામજોધપુર માર્કેટયાર્ડના સત્તાધીશોની ગંભીર બેદરકારી સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ હોવા છતાં તકેદારી ન રખાતા મગફળીની જણસીને ભારે નુકસાન થયુ છે.

(4:35 pm IST)