Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

વાંકાનેર કોવિડ સેન્ટરના સેવકોનું સન્માન

વાંકાનેર : કોરોના મહામારી સમયે કોરોના પોઝીટીવ દર્દીઓની નિઃસ્વાર્થ ભાવે સેવા કરનાર સંસ્થાઓ અને તેમના સેવકોનું મોરબી ખાતે મોરબી જીલ્લા કલેકટરના હસ્તે સન્માન કરવામાં આવેલ.  વાંકાનેરમાં ગાયત્રી શકિત પીઠ ખાતે ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ (સૌરાષ્ટ્ર પ્રાંત), ગાયત્રી પરિવારને સાથે વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ જસદણ સીરામીક ગ્રુપના ચેરમેન પ્રજ્ઞેશભાઇ પટેલે વેદમાતા ગાયત્રી કોવીડ કેર સેન્ટર શરૂ કરી પ૦ બેડ, ઓકસીઝન, ડોકટરો, નર્સીંગ સ્ટાફ સાથે શરૂ કરેલ. કોરોના પોઝીટીવ દર્દીને નિઃશુલ્ક મેડીકલ ચેકઅપ, બન્ને ટાઇમ ભોજન, નાસ્તો, સરબત, ઉકાળા, ફુટ સહિતની વ્યવસ્થા સાથે શરૂ કરી કોરોના હળવો પડયો ત્યાં સુધી કાર્યરત રહી સેવા કરનાર આ કોવીડ કેરના મુખ્ય સેવકો પ્રજ્ઞેશભાઇ પટેલ અને હીરેન પારેખનું મોરબી જીલ્લા કલેકટરશ્રીએ સન્માન કરી સેવાને બીરદાવી હતી. તે તસ્વીર. (તસ્વીર : નિલેશ ચંદારાણા - વાંકાનેર)

(10:21 am IST)