Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

ઉપલેટામાં મુળ જામજોધપુરના વતની ઉદય કાંજીયા નું મોત : હત્યા કે અન્ય કોઈ કારણ ? ગઈકાલે બે યુવકો સાથે માથાકૂટ થઇ 'તી : સોડા બાટલીનો ઘા મારવાથી મોત થયાનુ પ્રાથમિક તારણ

ઉપલેટા :ઉપલેટામાં મુળ જામજોધપુર વતની  ઉદય કાંજીયા નું મોત  થયું છે આ યુવકની હત્યા કે અન્ય કોઈ કારણ ?  તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. 

       માહિતી મુજબ મૂળ જામજોધપુર ગામના વતની અને ઉપલેટા ખાતે રહેતા ઉદય મનસુખભાઈ કાંજિયા (કડવા પટેલ ) ગઈકાલે તેમના પત્ની સાથે ઉપલેટાના નજીકના વિસ્તારોમાં ફરવા ગયા હતા.

        આ દરમિયાન તેમને બે યુવકો સાથે માથાકૂટ થઇ હતી ત્યારબાદ તેઓ ઘરે આવ્યા હતા ત્યાં ચક્કર આવવાથી પડી જવાથી તેમનું મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડેલ છે.

      આ બનાવમાં પોલીસે પણ તપાસ હાથ ધરી છે જેમાં પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે યુવકો સાથે થયેલી માથાકૂટ માં ઉદયભાઇ ને સોડાની બોટલ માથામાં વાગી હતી જેના કારણે તેમને  હેમરેજ થવાથી તેમનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાહેર થયું છે જોકે  પોલીસે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.

      મૃતક યુવકના પરિવારજનો અમેરિકા રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

(2:09 pm IST)