Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

જૂનાગઢ સ્વામિનારાયણ મુખ્ય મંદિરે સંતો દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

જુનાગઢ : જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના ચેરમેન દેવનંદનદાસજી અને મહંતશ્રી કોઠારી પ્રેમસ્વરૂપદાસજીના સાનિધ્યમાં ગતરાત્રે મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ભકિતભાવપૂર્વક સાદગી પૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ઉપરોકત તસ્વીરમાં પારણે ઝુલતા ભગવાનશ્રી કૃષ્ણની આરતી ઉતારતા કોઠારી પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢ) વાળા અને કૃષ્ણ જન્મોત્સવને વધાવી નંદઘેર આનંદ ભૈયો , જય કનૈયાલાલકીનું કિર્તન કરતા ચેરમેનશ્રી દેવનંદનદાસજી પી.પી.સ્વામી ધર્મકિશોર સ્વામી સહિતના સંતો નજરે પડે છે.  (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર-મુકેશ વાઘેલા-જુનાગઢ) 

(2:31 pm IST)