Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

પોરબંદર શ્રી હરિમંદિરે કૃષ્ણ જન્મોત્સવની પૂ. રમેશભાઇ ઓઝા દ્વારા સાદગી પૂર્ણ ઉજવણી

જુનાગઢ : પોરબંદર શ્રી હરિમંદિર સાન્દિપનિ વિદ્યાનિકેતન ખાતે પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા દ્વારા જન્માષ્ટમી પર્વની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી એ પ્રસંગની તસ્વીરી ઝલકમાં ગોવિંદ જયજય ગોપાલ જયજયનું કિર્તન કરાવતા પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા તેમજ નંદઘેર આનંદ ભૈયોના કિર્તન સાથે કૃષ્ણ જન્મોત્સવને વધાવતા પૂ. ભાઇશ્રી સાથે મર્યાદીત સંખ્યામાં આ ઉત્સવમાં ઉપસ્થિતિ રહેલા ઋષિકુમારો નજરે પડે છે. આ તકે પૂ. ભાઇશ્રીએ સૌ હરિભકતોને શુભ કામના વ્યકત કરતા જણાવ્યું હતું કે કૃષ્ણ તમારી ભીતર છે તે પ્રગટ થાય તેવા પ્રયાસો હંમેશા કરતા રહો ભકિતમાં તરબોળ બનો મધ્યરાત્રીએ પંચામૃતથી ભગવાનનો અભિષેક કરી જન્મોત્સવ ઉજવતા પૂ.ભાઇશ્રી તથા ઋષિકુમારો નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી -જુનાગઢ)

(2:33 pm IST)