Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જેતપુર તાલુકાનો જેતપુર ગામ પાસેનો છાપરાવાડી - ૨ ડેમ ૭૦ ટકા ભરાઈ ગયેલ હોઈ આવક વધતા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશેઃ હેઠવાસના ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના

રાજકોટ તા. ૧૩ :  અધિક્ષક ઈજનેર, રાજકોટ સિંચાઇ વર્તુળ (ફ્લડ સેલ), રાજકોટ તરફથી જણાવવામાં આવે છે કે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનો જેપુર ગામ પાસેનો છાપરાવાડી - ૨ તેની નિર્ધારીત સપાટીથી ૭૦ ટકાથી વધુ ભરાઇ ગયેલ છે. ડેમ પૂર્ણ કક્ષાએ ભરાતા તેના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે જેને ધ્યાને લઈ છાપરાવાડી - ૨ ડેમના હેઠવાસમાં આવેલા લુણાગરા, જાંબુડી, કેરાળી, મેવાસા, ઙ્કેમગઢ, લુણાગરી, રબારીકા ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.

(1:40 pm IST)