Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ધોરાજીના પ્રાચીન પંચનાથ મહાદેવ મંદિરમાં સફુરા નદીનું ૫ ફૂટ પાણી મંદિરમાં ઘૂસી ગયું અને શિવજીને જલાભિષેક કર્યો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૧૩: ધોરાજીના જામકંડોરણા રોડ ઉપર આવેલ સફુરા નદી ને કાંઠે પ્રાચીન શ્રી પંચનાથ મહાદેવ મંદિર ખાતે ધોરાજીમાં ભારે વરસાદને કારણે સફુરા નદી બે કાંઠે આવતા ૫ ફૂટ પાણી નદીમાંથી બહાર નીકળી મંદિરના પરિસરમાં દ્યૂસી ગયું હતું આ સમયે આશ્રમના મહંત મહામંડલેશ્વર શ્રદ્ઘાનંદગીરીબાપુ એ જણાવેલ કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ધોરાજીમાં ભારે વરસાદને કારણે સફુરા નદી બે કાંઠે આવી છે ત્યારે આજે વહેલી સવાર થી સફુરા નદી ઓવરફ્લો થઈ હતી અને એ નદીનું પાણી મંદિરમાં દ્યૂસી ગયું હતું અને આશ્રમમાં શ્રી પંચનાથ મહાદેવ મંદિરના ભાગમાં ચારથી પાંચ ફુટ પાણી અંદર આવી જતા શિવજીનો અભિષેક જલાભિષેક ભગવાન પંચનાથ મહાદેવ ને મેદ્યરાજાએ પણ કરી આપ્યો હતો

મંદિરના પરિસરમાં ચારથી પાંચ ફૂટ પાણી દ્યુસી જતા કોઈ જાનહાનિ કે કોઈ મુશ્કેલી ન હતી તેવું બાપુએ જણાવ્યું હતું પરંતુ બાપુના આશ્રમ ગણાતા પંચનાથ મહાદેવ મંદિરના ભવનમાં રસોડામાં બેઠક વ્યવસ્થા માં પાણી દ્યુસી જતા મોટી નુકશાની પણ જોવા મળી રહી છે.

(1:50 pm IST)